ભગવાનની ટપાલ

October 17, 2008

વિખ્યાત સૂફી સંત રાબિયા પાસે એક મુસલમાને જઈને કહ્યું : ‘મારું માથું એવું તો દુ:ખે છે કે પીડા સહન નથી થતી. થાય છે કે માથુ કાપી નાખું’

રબિયાએ એના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું : ‘અત્યાર સુધી માથું દુ:ખતું ન હતું, ત્યારે કદી પણ તેં ખુદાનો આભાર માનેલો ખરો ?’ રબિયાએ બહુ મોટી વાત કહી દીધી. સાંજે જમવા બેસીએ અને થાળીમાં ભોજન પીરસાય ત્યારે આપણે પ્રભુનો પાડ માનતા નથી. સાજા સમા હોવા બદલ આપણે ઈશ્વરના અનુગ્રહની નોંધ લેવાનું ચૂકી જઈએ છીએ. સંતાનો વિવેકી હોય ત્યારે આપણે તેને ઈશ્વરની મહેરબાની ગણીને એ માટે આભાર માનવાનું યાદ નથી રાખતા. દેખતો માણસ આંખનું ખરું મૂલ્ય સમજવામાં ગોથું ખાઈ જાય છે.

હૃદયરોગનો હુમલો થાય પછી હૃદયનું મૂલ્ય સમજાય છે. ડાયાલિસિસ કરાવવાની નોબત આવે ત્યારે કિડનીનું મહત્વ સમજાય છે. ઊંઘની ગોળી લીધા પછી પણ ફાંફાં મારવાં પડે ત્યારે માંડ સમજાય છે કે ઘસઘસાટ ઊંઘનાર ગરીબ આદમી કેટલો વૈભવશાળી છે. જીવનની કહેવાતી નાની ઘટના પણ નાની નથી હોતી. પ્રતિક્ષણ માલિકના અનંત ઉપકાર હેઠળ હોવાની અનુભૂતિ ભક્તની સાચી અમીરાત છે. કૃપાનુભૂતિ, ઈશ્વરાનુભૂતિની પ્રસ્તાવના છે. આવી કૃપાનુભૂતિને અંતે હૃદયમાં ઊગતી પ્રાર્થનામાં શબ્દો ખરી પડે છે અને કેવળ પ્રાર્થના રહી જાય છે. જાણીતા દાર્શનિક મિસ્ટર એકહાર્ટ કહે છે :

સમગ્ર જીવન દરમ્યાન
જો તમે
ફકત એક જ વખત પ્રાર્થના કરો
અને (ઈશ્વરને) ‘થૅન્ક યૂ’ કહો,
તો તે પણ પૂરતું છે.

આપણે આભાર ન માનીએ તો તેમાં ઈશ્વરનું કશું બગડતું નથી. તેની કૃપા તો નાસ્તિક પર પણ વરસતી જ રહે છે. આસ્તિક મનુષ્ય માને છે કે પોતાની બુદ્ધિમાં ન સમાય એવી ઘણી બાબતો સૃષ્ટિમાં છે, જેનો પાર બુદ્ધિથી પામી શકાય તેમ નથી. નાસ્તિક મનુષ્ય માને છે કે પોતાની બુદ્ધિમાં ન સમાય તેવી કોઈ બાબતનો સ્વીકાર ન થઈ શકે. કોઈ અભણ મનુષ્ય પાયથાગોરસનો પ્રમેય ન સમજે, તેથી એ પ્રમેયના સત્યને કોઈ હાનિ પહોંચતી નથી. સતત વહેતા કૃપાના ધોધ નીચે પ્રાર્થનામય ચિત્તે ઊભા રહીને પલળવું એ જ ભક્તિ છે. 

. અવ્યભિચારિણી ભક્તિ પ્રાપ્ત થવી એ પણ પ્રભુની કૃપા છે. ક્યારેક એવું બને કે ઈશ્વરનો સાક્ષાત્કાર ન થાય તોય એની કૃપાની અનુભૂતિ સતત થતી રહે છે. જેઓ પરીક્ષામાં ફુલ્લી પાસ ન થાય તેવા નિશાળિયાઓને પણ ‘ઉપર ચડાવવામાં આવે છે.

-ભગવાનની ટપાલ

-ગુણવંત શાહ

રામજીની માળા

October 13, 2008

રામજીની માળા ફેરવવી કઠણ છે

ફેરવવી કઠણ છે ને ખાંડા કેરી ધાર છે…..રામજીની માળા

માતા પિતા અને ત્રીજા ગુરુદેવ છે

ત્રણેની આગ્ન્યા માનવી કઠણ છે…..રામજીની માળા

સાસુ સસરા અને ત્રીજા પતિદેવ છે

ત્રણેની સેવા કરવી કઠણ છે…..રામજીની

દેરાણી જેઠાણી ને ત્રીજી પાડોશણ છે

ત્રણેની વચમાં રહેવું કઠણ છે…..રામજીની

પાવાગઢ ચોટીલો ને ત્રીજો ગિરનાર છે

ત્રણેનાં પગથિયા ચઢવા કઠણ છે….રામજીની

ગંગાજી જમનાજી ને ત્રીજી સરસ્વતી

ત્રણેમાં સ્નાન કરવા કઠણ છે….રામજીની

સોમનાથ મહાકાલ  ને ત્રીજા કેદારનાથ છે

ત્રણેની જાત્રા કરવી કઠણ છે….રામજીની

પ્રભુ નમીએ

October 3, 2008

પ્રભુ નમીએ રુડી રીતે,

Read more »

વૈષ્નવ જન તો

October 3, 2008

વૈષ્નવ જન તો તેને રે કહીએ,
જે પીડ પરાઈ જાણે રે.

Read more »

પ્રભુજીને પડદામાં રાખ મા

October 3, 2008

પ્રભુજીને પડદામાં રાખ મા
         પૂજારી, તારા -
                  આતમને ઓઝલમાં રાખ મા.

Read more »

વંદન કરીએ શ્રી પ્રભુ તમને,

October 3, 2008

વંદન કરીએ શ્રી પ્રભુ તમને,

Read more »

રઘુપતિ રાઘવ રાજારામ

October 3, 2008

રઘુપતિ રાઘવ રાજારામ,
પતિત પાવન સીતારામ.

Read more »

પરોઢિયે પંખી જાગીને

October 3, 2008

પરોઢિયે પંખી જાગીને, ગાતાં મીઠાં તારાં ગાન,
પરોઢિયે મંદિર મસ્જિદમાં, ધરતા લોકો તારું ધ્યાન.

Read more »

સૌનું કરો કલ્યાણ

October 3, 2008

સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ,સૌનું કરો કલ્યાણ.
નર-નારી, પશુ-પક્ષી(૨)જીવ જંતુનું તમામ,

Read more »

હે જગત્રાતા,વિશ્વ-વિધાતા

October 3, 2008

હે જગત્રાતા,વિશ્વ-વિધાતા,હે સુખ-શાંતિ નિકેતન હે, Read more »