જાનાર તો જાતા રહ્યા, સદગુણ એનાં સાંભરે,
લાકો લુંટાવો તોય એ મરનાર પાછા ના મળે…જાનાર તો
વૈભવ મળે, કીર્તિ મળે,લક્ષ્મી ગયેલી સાંપડે,
એ સૌ મળે આ જગતમાં, મરનાર પાછા ના મળે…જાનાર તો
મરનાર અગ્નિમાં બળે, જોનાર અગ્નિવીણ જલે,
રોયા કર્યેથી શું વળે, મરનાર પાછા ના મળે…જાનાર તો
વૈદ્યો, હકીમો, ડોક્ટરો,વિજ્ઞાનીઓ મોટા મળે,
ક્ષણ એક જીવન ના મળે,મરનાર પાછા ના મળે…જાનાર તો
રોનાર કોઇ રોશો ન બાપુ, નિયમ છે કુદરત તણો,
જોનાર સૌ જોતા રહે, મરનાર પાછા ના મળે….જાનાર તો
